શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા સારસ્વત શિક્ષકનું સન્માન કાર્યક્રમ યોજાયો

શિક્ષક દેવો ભવ:

હિન્દ ન્યુઝ, સુરત

       શિક્ષકનું માન અને ગૌરવ વધારવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટનો આ કાયમી પ્રોજેક્ટ છે. દર અઠવાડિયે એક સારસ્વત શિક્ષકનું સન્માન કરી વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષક આલમમાં સારા વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ થશે. બદલાયેલા વાતાવરણમાં સારા નાગરિકોનું ઘડતર ખુબ જરૂરી છે. બાળકોમાં વધતી આત્મહત્યા, ડ્રગ્સનું વ્યસન કે ટપોરીવેડા જેવા વર્તન ચિંતાજનક છે. ત્યારે આ યુવાધનને માત્ર શિક્ષક જ બચાવી શકે તેમ છે. અને શિક્ષક બાળક કે વાલીને કશું કહી શકતો નથી એટલે તે પણ, નિરાશ અને નિષ્ક્રિય હોય તેવું લાગે છે. વાલી અને શિક્ષકો વચ્ચે પરસ્પર માન અને વિશ્વાસભર્યો સબંધો કેળવાય તેવા ઉમદા વિચારથી “શિક્ષકને માન આપો” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

શિક્ષક દેવો ભવ: પ્રવૃતિના ભાગરૂપે ઉત્રાણ ખાતે નારાયણ મહાદેવ દેસાઈ – શાળા ક્રમાંક 306 સુરતના શિક્ષક રીનાબેન મોદી ને તેમની શાળાના બાળકો સમક્ષ સન્માનિત કરી એવોર્ડ અર્પણ કરેલ છે. આ પ્રસંગે જે.બી. સોજીત્રા સર એ જણાવ્યું કે વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે લાગણી અને સન્માનીય સબંધોની જરૂર છે. રાષ્ટ્રની તમામ સમસ્યાઓનો ઉકેલ વર્ગખંડ માંથી નીકળશે એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી વ્યાપકપણે આ વિચાર પહોંચે તે માટે બંને સંસ્થાઓ સંયુક્તક્રમે દર અઠવાડિયે કોઈ એક શાળાના શ્રેષ્ઠ શિક્ષકને શાળાએ રૂબરૂ જઈ સન્માનિત કરીશું. રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ વિજયભાઈ માંગુકિયા બાળકોને શિક્ષકનું મહત્વ સમજાવી હંમેશા આદરભાવ રાખવા અનુરોધ કર્યો હતો. “શિક્ષક દેવો ભવ:” પ્રોજેક્ટના આજના આ કાર્યક્રમ માં રોટરી પ્રેસિડેન્ટ વિજયભાઈ માંગુકિયા, સેક્રેટરી કલ્પેશ બલર તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ માથી જે.બી. સોજીત્રા મનજીભાઈ વાઘાણી, મનુભાઈ ગોંડલીયા, પ્રોજેક્ટ ચેરમેન રસિકભાઈ સાવલિયા, કો-ચેરમેન પંકજભાઈ રામોલિયા, ડૉ. અમુલખ સવાણી તેમજ મોટી સંખ્યામાં રોટેરિયન મિત્રોએ રીનાબેન મોદી નુ સન્માન કરી એવોર્ડ અર્પણ કર્યો હતો.

 

 

Related posts

Leave a Comment